પોરબંદર
બનાવની વિગત એવી હતી કે, પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચના એએસઆઇ અને અનેક ગુન્હાઓ ડીટેકટ કરનાર બટુકભાઇ એલ. વિંઝુડા તથા પો.કોન્સ. દિલીપભાઇ જેઠાભાઇને સંયુકત બાતમી એવી મળી હતી કે, એક યુવક અને સગીરા કોટડા ગામના પાટીયા પાસે આવેલ કુટીરમાં શંકાસ્પદ હાલતમાં બેઠા છે આથી પી.એસ.આઇ. એન.એમ.ગઢવી સહિત એ.એસ.આઇ. આર.પી. જાદવ, બાતમી મળી હતી કે, બી.એલ. વિંઝુડા, દિલીપભાઇ જેઠાભાઇ, હેડ કોન્સ. જી.એસ. મકવાણા, કોન્સ્ટેબલ વિજયભાઇ જેન્તીલાલ જોશી, રવિરાજ જીતેન્દ્રભાઇ તથા કરશનભાઇ પુંજાભાઇ વગેરેએ ઇન્સ્પેકટર એન.એન. રબારીની સુચના મુજબ આરોપીને પકડી પાડવા માટે ત્યાં દોડી ગયા હતા. જયાં પોલીસને જોતા કોટડા ગામના પાટીયા પાસેની કુટીરમાં સગીરા અને યુવક આડાઅવળા થવા લાગતા શંકા જતાં તેઓનેરોકીને પ્રાથમિક પુછપરછ કરવામાં આવતા એવું બહાર આવ્યું હતું કે, સિંધપુર ગામની 1પ વર્ષની સગીરા કે જેના પરિવારજનોએ 3 મહીના પહેલા દિકરીના અપહરણનો ગુન્હો નોંધાવ્યો હતો એ જ આ સગીરા છે અને તેની સાથે રહેલ શખ્સ પોરબંદરના સિતારામનગરમાં રહેતો કીસ્મત ઉર્ફે ભીખુ પુંજા ઓડેદરા છે.
પોલીસે બન્નેની અટકાયત કરતા યુવાને એવું કબુલ્યું હતું કે, ત્રણેક મહીના પહેલા તે આ સગીરાને ભગાડી ગયો હતો અને ત્યારથી તે નાસ્તો ભાગતો હતો આથી પોલીસે પંચનામુ કરીને કુતિયાણા પોલીસ સ્ટેશનના ગુન્હાના કામે અટક કરી હતી અને તેની જાણ પરિવારજનોને કરી હતી તથા સગીરાનો કબ્જો લઇને મેડીકલ તપાસ માટે મોકલવામાં આવી છે અને તેમાં હવે આગળની તપાસ બાદ બળાત્કારની કલમ ઉમેરાય તેવું પોલીસ સુત્રોએ જણાવ્યું છે.